કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ડીસા ખાતે ” વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ” ( ૧૪ ઓગસ્ટ ) નિમિતે બે દિવસિય વિશેષ ચિત્ર પ્રદર્શન નું આયોજન.

કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ડીસા ખાતે ” વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ” ( ૧૪ ઓગસ્ટ ) નિમિતે બે દિવસિય વિશેષ ચિત્ર પ્રદર્શન નું આયોજન.

“દેશના વિભાજન સમયે હિંસા અને તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલા આપણા અસંખ્ય બહેનો અને ભાઈઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની યાદમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.” આ પ્રસંગ ને દેશ ના જનમાનસ ને આ ઘટનાથી વાકેફ કરાવવા તેમજ આ કરૂણ ઘટનાનો ભોગ બનેલ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો,પાલનપુર દ્વારા ડીસાની ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સાંસ્કૃતિક હોલ ખાતે બે દિવસથી ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવશે, આ વિશેષ ચિત્ર પ્રદર્શન નું ઉદ્ઘાટન ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવશે ત્યારબાદ માનનીય ધારાસભ્ય શ્રી ના અધ્યક્ષ સ્થાને તથા અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કેન્દ્રીય સંચાર બ્યુરો,પાલનપુર દ્વારા વિષય અનુરૂપ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ બે દિવસ દરમિયાન કરવામાં આવશે. આ ચિત્ર પ્રદર્શન તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!