સુરતમાં પાલી ગામમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં વધુ એક ધરપકડ

 સુરતમાં પાલી ગામમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં વધુ એક ધરપકડ

સુરતમાં પાલી ગામમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં વધુ એક ધરપકડ કરવામા આવી છે..સુરત પોલીસે ઈમારતનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.. સચિન પોલીસ દ્વારા આ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.. આ ઇમારત પંકજ ડુંગરાણીએ બનાવી હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવ હતી..અગાઉ જે આરોપીઓ ઝડપાયા હતા તેની પૂછપરછમાં કોન્ટ્રાક્ટરનું નામ બહાર આવ્યું હતું.. સુરતના સચીનના પાલી ગામની ઈમારત પડવાની ઘટનામાં સાત લોકોના મોત થયા હતાં
આ ઇમારત 8 વર્ષ પહેલાં 23 લાખમાં બનાવાયું હતું. જે તે વખતે સિવિલ કોન્ટ્રાકટરે નિયમ મુજબ બાંધકામ કર્યું ન હતું.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!