આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ છે. સાથે જ ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી થઇ રહી છે.
આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ છે. સાથે જ ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી થઇ રહી છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રામાં નીકળતા ત્રણેય રથોનું પૂજન કરવામાં આવે છે. ઉપરાંત પરશુરામ જયંતી નિમિત્તે આજે અમદાવાદમાં ભઠ્ઠા, પાલડી ખાતેથી બ્રહ્મ સમાજ દ્વારા પરંપરાગત પરશુરામ યાત્રાનું આયોજન પણ કરાયું છે. રાજયભરમાં શોભાયાત્રા સહિત સાંજે વિવિધ પરશુરામ મંદિરોમાં મહાઆરતી થશે. ઉલ્લેખનીય છે કે, આજના દિવસે સોનુ ખરીદવાનો મહિમા છે.