વડગામ રણછોડજી મંદિર ખાતે ગ્રામસભા યોજાઈ.

વડગામ રણછોડજી મંદિર ખાતે ગ્રામસભા યોજાઈ.

તાલુકા મથક વડગામ ખાતે આવેલ રણછોડજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત પંચતિથૅ મંદિર સંકુલ ખાતે શિવાલય ની પુનઃ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આયોજન ની ચચૉ વિચારણા કરવા મેનેજીંગ ટ્રસ્ટી આર.વી.પટેલ ની અધ્યક્ષતા માં તથા અમૃતભાઈ રાવલ, કાળુજી સોલંકી, માંઘજીભાઈ પટેલ, કેશરભાઈ ઉપલાણા, લક્ષ્મણભાઈ સીરવી સહિત તમામ વડીલો ની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં
સમાજ વાઈઝ ગામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં આગામી 12,13,14, જુલાઈ 2024
ત્રણ દિવસ દરમિયાન ભવ્યાતિભવ્ય કાયૅક્રમો દ્વારા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવા સવૉનુમતે નક્કી કરવામાં આવ્યું.
ડૉ.મહેશભાઈ મેવાડા,ચેલજીભાઈ ઉપલાણા, તેજમાલ સિંહ સોલંકી, પુજારી જગદીશભાઈ રાવલે ગ્રામસભા નું સફળ સંચાલન કર્યું હતું. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના કાયૅક્રમ ને આખરીઓપ આપવા આગામી તારીખ 14/5/2024 ના સવારે રણછોડજી મંદિર ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હોવાનું મેનેજીંગ ટ્રસ્ટી આર.વી.પટેલે જણાવ્યું હતું.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!