હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા

હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા

જંબુસરના પાંજરાપોળ પટેલ ખડકીમાં પરંપરાગત ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.જેમાં સ્થાનિકો દ્વારા હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી પરંપરા છે.
જંબુસરના પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત રીતે હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે.જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂયિાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુ-બાજુ ખડકીના લોકો એકઠા થઈ નનામીમાં સુવડાવી કૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈઓ-બહેનો ઉમટી પડે છે.
અહીંયાની લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો.હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશિપુને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઇ ગયું હતું અને રાખ જોઇ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયા બાદ તે ભાવ-વિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ -અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે.ત્યારથી પરંપરાગત જંબુસર વાસીઓ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો દર વર્ષે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા-અર્ચના કરી સ્મશાનયાત્રા કાઢી તેને વિદાય આપવામાં આવે છે.જેમાં મોટી સંખ્યામાં યુવાઓ, ભાઇઓ અને બહેનો જોડાય છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!