પાલનપુર માનસરોવર બ્રીજ નીચેથી દારૂ ભરેલી ૬૭૨ બોટલ પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર

પાલનપુર શહેર માં બાતમી હકીકત મળેલ કે “પાલનપુર માન સરોવર બ્રીજના નીચે ખોડીયારનગર, માનસરોવર ફાટક પાસે રહેતો રણછોડ ઉર્ફે છલીયો કેશાભાઈ સલાટ જે પ્રકાશનગર ત્રણ રસ્તાથી ખ્રિસ્તીઓના સ્મશાન તરફ જતાં રોડ ઉપર આવેલ ધનરાજ ગજરાજભાઇ ગોસાઇના રહેણાંક મકાનની બહાર આવેલ એક દુકાન ભાડેથી રાખી તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનું વેચાણ કરે છે” જે હકિકત આધારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતાં દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ નંગ-૬૭૨ પેટી નંગ-૨૨ કિ.રૂ.૧,૪૮,૨૨૦/- નો મુદૃામાલ કબ્જે કરી રણછોડ ઉર્ફે છલીયો કેશાભાઈ સલાટ રહે. પાલનપુર માન સરોવર બ્રીજના નીચે ખોડીયારનગર માનસરોવર ફાટક પાસે તા.પાલનપુરવાળા  વિરૂધ્ધમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેસન ખાતે ધી પ્રોહી એકટ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!