“પાલનપુરના માનાબેન દેવાભાઈ પરમાર ઉમર 106 વર્ષ જેમનું દેહદાન કરવામાં આવ્યું..

“પાલનપુરના માનાબેન દેવાભાઈ પરમાર ઉમર 106 વર્ષ જેમનું દેહદાન કરવામાં આવ્યું..

દેહદાન મહાદાન” સ્વર્ગીય માનાબેન દેવાભાઈ પરમાર ઉમર 106 વર્ષ જેઓ પાલનપુર, સત્કાર સોસાયટી, ગણેશપુરા ના રહેવાસી હતા .તેઓએ તેમની 106 વર્ષની ઉંમરે દેહદાનનું એક ઉમદા કાર્ય કર્યું છે તેમનું દેહદાન મોરિયા બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે કરવામાં આવેલ છે તેમને અગાઉ 10 વર્ષ પહેલાં બી જે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે તેમના દેહદાન માટે સંકલ્પપત્ર ભરેલું..હાલમાં તેઓ પાલનપુર સ્થાયી થયા હોવાથી તેમનું દેહદાન પાલનપુર મોરિયા મેડિકલ કોલેજમાં કરવામાં આવેલ..આ દેહદાન થકી મેડિકલ સાયન્સના કોલેજના વિદ્યાર્થીઓ જેઓ ભવિષ્યમાં એમડી ,એમબીબીએસ, સર્જન ડોક્ટર બનશે તેમના મેડિકલ સાયન્સ ના અભ્યાસમાં આ દેહદાન કામમાં આવશે. સ્વર્ગીય માનાબેન ના દેહદાન ના સેવાકાર્ય માટે તેમના પુત્રો કાંતિલાલ,અમરૂતલાલ તેમની પુત્રીઓ નિરૂબેન,અમુબેન દ્વારા બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ને તેમનું દેહદાન અર્પણ કરવા મા આવ્યું હતું.જનસેવા એજ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા દેહદાન માટેની પ્રેરણા તેમના પરિવારને પુરી પાડવામાં આવી હતી અને મોરિયા બનાસ મેડિકલ કોલેજ ખાતે તેમનું દેહદાન શાંતિપૂર્ણ થાય તે માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી .ભગવાન સ્વર્ગીય માનાબેન પરમાર ની આત્માને શાંતિ પ્રદાન કરે દેહદાન મહાદાન

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!