અમીરગઢમાં મામલતદાર કચેરી આગળના ભાગે દુર્ગંધ મારતું પાણી

અમીરગઢમાં મામલતદાર કચેરી આગળના ભાગે દુર્ગંધ મારતું પાણી

1 ઓક્ટોબરે સરકાર દ્વારા એક કલાક શ્રમદાન કરી સ્વચ્છતાની અપીલ કરી હતી. ત્યારે અમીરગઢમાં સ્વચ્છતાના નામે મીંડું હોય તેમ ગામના ગલી-મહોલ્લાઓમાં ગંદુ પાણી માર્ગો ઉપર રેલાઇ રહ્યું છે. અમીરગઢ મામલતદાર કચેરી આગળના ભાગે આવેલા રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતું પાણી માર્ગો પર રેલાઇ રહ્યું છે. જોકે આ અંગે અમીરગઢ પંચાયતના સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈ જ પરિણામ આવતું નથી. ગાંધી જયંતિ પર નાના-મોટા તમામ ગામોમાં સફાઈ કરાઈ હતી. જોકે અમીરગઢ પંચાયત દ્વારા પણ આયોજન કરાયું હતું પરંતુ તે આયોજનનું સુરસરિયું થયું હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!