પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ ટેરર  કપ શરૂ થશે, ધમકી આપનાર પન્નુ સામે ફરિયાદ

મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ નહીં પણ ટેરર વર્લ્ડ કપ શરૂ થશેઃ ધમકી આપનાર પન્નુ સામે ફરિયાદ

શહેરમાં રમાનારી વર્લ્ડકપની મેચોને લઈને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ધમકીઓ આપી હતી. તેણે ધમકી આપતાં કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપની પણ ટેરર વર્લ્ડ કપ શરૂ થશે. નાગરીકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં. પન્નુના વાયરલ થયેલા ઓડિયો મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાઈ છે.

ગુરપરવંતસિંહ પન્નુએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયોમાં આ પ્રકારની ધમકી આપી હતી. આગામી પાંચ ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ નહીં પણ ટેરર વર્લ્ડ કપની શરૂઆત થશે. શીખ્સ ફોર જસ્ટિસ ખાલિસ્તાન ધ્વજ સાથે અમદાવાદનો ઉપયોગ કરીને તોફાન કરશે. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવાના છીએ. અમે તમારી બુલેટ સામે બેલેટનો ઉપયોગ કરીશું. અમે તમારી હિંસા વિરુદ્ધ મતનો ઉપયોગ કરીશું. યાદ રાખો 5મી ઓક્ટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!