અંબાજી થી થયું ધર્મ રથ નું પ્રસ્થાન: ક્ષત્રીય સમાજ ધર્મ રથમાં જોડાયો.
અંબાજી ખાતે ધર્મગ્રંથનો પ્રસ્થાન કરી ક્ષત્રિય નારી અસ્મિતાને લડાઈ રડતા ક્ષત્રિય સમાજ આજે અંબાજી મંદિરમાં ધજા ચડાવી સાત તારીખે જન અક્રોશ થકી પોતાની તાકાત બતાવશે.
ભાજપ નેતા પુરુષોત્તમભાઈ રૂપાલા ના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દિવસ રાત રોષે ભરાતો જઈ રહ્યો છે, ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાને લડાઈને લઈને ક્ષત્રિય ધર્મરથ બનાસકાંઠા જિલ્લામાં આજથી અંબાજી થી શરૂ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર બનાસકાંઠામાં ફરશે શ્રી રાજપુત કરણી સેના દ્વારા આ અસ્મિતારથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસ્થાન પૂર્વે તમામ છત્રીઓ અંબાજી પહોંચે મા અંબાના દર્શન કરી અંબાના મંદિરે ત્રિશૂળ અને ધ્વજા ચડાવી માતાજીના આશીર્વાદ લઇ અંબાજી ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કર્યું હતું. આ ધર્મરથ પ્રસ્થાનમાં જિલ્લાના મોટી સંખ્યામાં ક્ષત્રિયઓ જોડાયા હતા.