શ્રી સાગ્રોસણા કેળવણી મંડળ સંચાલિત શ્રી ટી. ડી. શાહ વિદ્યાલય ખાતે બાળકો ને ગણવેશ, નોટબુક તેમજ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.

શ્રી સાગ્રોસણા કેળવણી મંડળ સંચાલિત શ્રી ટી. ડી. શાહ વિદ્યાલય ખાતે બાળકો ને ગણવેશ, નોટબુક તેમજ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.

બનાસકાંઠા જિલ્લા નાં પાલનપુર તાલુકાનું સાગ્રોસાણા ગામમા આવેલ શ્રી સાગ્રોસણા કેળવણી મંડળ સંચાલિત શ્રી ટી. ડી. શાહ વિદ્યાલય, સાગ્રોસણાના પ્રાંગણમાં સંસ્થાના મુખ્ય ધુરાવાહકશ્રી (એશિયન સ્ટાર કંપની, મુંબઈ) વિપુલભાઈ શાહ, રાહિલભાઈ શાહ તેમજ દીપેશભાઈ શાહ અને આજ ગામના વતની શ્રી વિજયભાઈ કે. જુડાળ તરફથી શાળાના બાળકોને ગણવેશ, નોટબુક તેમજ પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી ડો. ગણેશભાઈ પટેલ, મંત્રીશ્રી ડી એમ. પટેલ, કારોબારી સદસ્ય શ્રી જયેશભાઈ ડેલ, માજી સરપંચ શ્રી માનચંદભાઈ કરણાવત ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર શાળા પરિવારનો સમગ્ર સંસ્થાના હોદ્દેદારોએ તેમજ આચાર્યશ્રી આર એન. રાતડા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા દાતાઓનો આભાર પ્રગટ કર્યો હતો.

આહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!