પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18મી જૂને નવ કરોડ ત્રણ લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20 હજાર કરોડ રૂપિયા જમા કરશે….

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 18મી જૂને નવ કરોડ ત્રણ લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20 હજાર કરોડ રૂપિયા જમા કરશે….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મી જૂને નવ કરોડ ત્રણ લાખ ખેડૂતોના ખાતામાં લગભગ 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
શ્રી ચૌહાણે કહ્યું કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેઓ મંત્રાલયના અધિકારીઓ સાથે ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે તેમણે નવી સરકારની સો દિવસીય યોજના હેઠળ તેમના મંત્રાલયની કાર્ય યોજનાની પણ સમીક્ષા કરી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!