પાલનપુર મુકામે સાહિત્યકારશ્રી પ્રવીણ જોષીના કાવ્યસંગ્રહ પ્રેમ કટારીનો વિમોચન કાર્યક્રમ યોજાયો.

પાલનપુર મુકામે સાહિત્યકારશ્રી પ્રવીણ જોષીના કાવ્યસંગ્રહ પ્રેમ કટારીનો વિમોચન કાર્યક્રમ યોજાયો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે આવેલા આરોગ્યધામના આઇ.એમ.એ. હોલ ખાતે જાણીતા કવિ અને સાહિત્યકારશ્રી પ્રવીણ જોષીના કાવ્ય સંગ્રહ “પ્રેમ કટારી” નો વિમોચન વિધિ જાણીતા કેળવણીકાર અને સાહિત્યકારશ્રી શરદ ત્રિવેદીના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા શબ્દપોષક તબીબશ્રી ડૉ. સુરેન્દ્ર ગુપ્તાએ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું.
શબ્દ સાધના પરીવારના બેનર હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર જગતાપ, જાણીતા વાર્તાકારશ્રી ધરમાભાઈ શ્રીમાળી, ગુરૂ બ્રાહ્મણ સમાજ બ. કાં.ના પ્રમુખશ્રી અરવિંદભાઈ ચોરાસિયા, નિવૃત્ત જિલ્લા ટ્રાફિક એ.એસ.આઇ. શ્રી જીવરાજભાઈ જોષી સહિત અનેક સાહિત્યકારો, વિદ્વાન સ્નેહીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને કવિશ્રીને બિરદાવ્યા હતા. કવિ પ્રવીણ જોષીએ પણ ઉપસ્થિત સૌ સાહિત્યરસિક મિત્રોનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમના બીજા ભાગમાં કવિ સંમેલન પણ રાખવામા આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જાણીતા કવિ મિત્રોએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ પરમપાલનપુરી અને કવિ કમલ પાલનપુરીએ સુંદર રીતે કર્યું હતું. અંતમાં આભારવિધિ નયનાબેન તુરી ‘નિશા’ એ કરી હતી. છેલ્લે આઈસ્ક્રીમ લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!