મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા 3000 કુંડા અને ચકલી ઘર નું વિતરણ કરવા મા આવ્યું.
મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા 3000 કુંડા અને ચકલી ઘર નું વિતરણ કરવા મા આવ્યું.
વડગામ તાલુકા મથક ખાતે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા 3000 કુંડા અને 3000 ચકલી ઘર નું વિતરણ કરવા મા આવ્યું હતું જેમ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ના તમામ ધર્મ ના તમામ સમાજ ના સદસ્યોં ને ભાગ લીધો અને આવનાર ઉનાળા માં પક્ષીઓ માટે ઉમદા વિચાર કરી લોકો ને કુંડા અને પક્ષીઓ માટે માળાનું વિતરણ કરવા માં આવ્યું હતું લોકો એ ઉત્સાહ ભેર સહકાર આપ્યો હતો.
અને વડગામ તાલુકા ના ગરીબ લોકો માટે હમેશા તત્પર રહેતી મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ લગ્ન કે શુભ પ્રસંગે વધેલ ભોજન જરૂરિયાત મંદ સુધી પહોંચાડવાનું, ઠંડા પાણી ની પરબ, બલ્ડ ડોનેશન કેમ્પ, આખા ગુજરાત માં ત્રણ વર્ષે માં 1200 સર્વે સમાજ ને બ્લડ ની બોટલ પુરી પાડી, જરૂરિયાત મંદ બાળકો ને શિક્ષણ કીટ, ભાદરવી પૂનમ ના સેવા કેમ્પ, દિવાળી પર 5 તાલુકા માં 1500 થી વધારે પરિવાર ને મીઠાઈ અને ફરસાણ, કોરોના કાળ વખત ભોજન ગરીબો ને, ઓક્સિજન ના બોટલ ની મદદ જરૂરિયાત મંદ લોકો ની સેવા માં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ હમેશા લોકો ને પડખે રહી સેવા ની જ્યોત હમેશા પ્રગટાવી ને લોક ઉપયોગી કામો કરતા રહો એવી શુભકામનાઓ આપી હતી..